જાણો ફળ વિશે:પપૈયું

પેટ તથા હ્રદય માટે ઉતમ,પૌષ્ટિક પપૈયું
પપૈયું બારે માસ મળતું મધુર ફળ છે. તે ઘરને આંગણે વાવીને બારે માસ મેળવી શકાય છે. તેની ખેતી પણ થાય છે.
પપૈયું સ્વાદે મીઠું, તાસીરે ઠંડું, પચવામાં ભારે, સહેજ ચીકણું, મળને સાફ લાવનાર, વાત અને કફકર તથા પિત્તનાશક છે. કાચું પપૈયું ગરમ છે અને પિત્તકર છે.
જેમનો જઠરાગ્નિ મંદ હોય, બીમારી પછી અશક્તિ આવી ગઈ હોય, ખોરાક ખાઈ શકતા કે પચાવી શકતા ન હોય તેવી વ્યક્તિ પપૈયામાં મીઠું-મરી ભેળવી ખાઈ શકે.
પપૈયાના બી પેટના કૃમિને મારે છે. રોજ પાંચથી સાત પપૈયાના બીનો ભૂકો ખાવો.
પપૈયાના મૂળનો ઉકાળો પીવાથી પથરીના રોગમાં લાભ થાય છે. ઘણીવાર પથરી તૂટીને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
પપૈયું પૌષ્ટિક છે. અશક્તિ, માંસક્ષય, લોહીની ઓછપમાં તે સારું છે. પેટના રોગી અને હ્રદયના રોગી પપૈયું છૂટથી ખાઈ શકે. કબજિયાતવાળા અને આંતરડાંની નિર્બળતામાં પપૈયું નિયમિત લેવું. પેટનો ગોળો અને બરોળ વૃદ્ધિમાં પપૈયું ફાયદો કરે છે.
બાળકોને પપૈયું ખવડાવવાથી તેની ઊંચાઈ વધશે.
કાચાં પપૈયાનું છીણ-સંભારો ખાવાથી પાચનશક્તિ સુધરે છે.
પપૈયું ગરમ છે માની સગર્ભાને ખવરાવાતું નથી તે ખોટું છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors