જાણો ફળ વિશે:તરબૂચ – ટેટી

તન-મનને તરબતર કરતાં તરબૂચ ઉનાળુ ફળ તરબૂચ – ટેટી
નદીના રેતાળ પ્રદેશમાં વાડા કરીને ઉગાડાતાં આ ઉનાળુ ફળો છે. ધોમધખતા તાપમાં તન-મનને આ બંને ફળો તરબતર કરે છે.
બંને ફળો સ્વાદે મીઠા, તાસીરે ઠંડા, પચવામાં ભારે, સહજ ચીકાશયુક્ત, પેટ સાફ લાવનાર, પિત્તશામક, વાત-કફકર છે. વળી તેઓ મૂત્રલ હોઈ પેશાબ સાફ લાવે છે.
સાકર ટેટી સાકર જેવી મીઠી લાગે છે. તે ખરજવા માટે ખૂબ લાભ કર છે. ખરજવાના રોગીએ તેનું નિત્ય સેવન કરવું જોઈએ. બંને ફળો મૂત્રલ છે. તે પેશાબ સાફ લાવે છે અને પેશાબના રોગો મટાડે છે. પેશાબની બળતરા અને અટકી અટકીને આવતો પેશાબ આ ફળોના સેવનથી મટે છે.
વળી બંને ઠંડા હોઈ પિત્ત અને ગરમીના રોગો પણ મટાડે છે. બળતરા, તરસ, શોષ, શરીરનો જલીયાંશ ઘટી જવો વગેરેમાં આ ફળો લાભકર છે.
તરબૂચના બી પથરીમાં સારા છે. તેના મીંજ ખાઈ શકાય. તેનો ઉકાળો પી શકાય. જેથી પથરી નીકળી જાય છે. આ બીના મીંજને મગજતરીમાં નખાય છે. તે સ્વાદિષ્‍ટ અને બુદ્ધિવર્ધક હોય છે.
ટેટી અને કાચી કેરીનું છીણ કરી ભોજન સાથે લઈ શકાય. ટેટીના ટુકડા કરી તેમાં સાકર મેળવી તેનો પણો ખાઈ શકાય. બંને ફળો બપોરે નાસ્તામાં લઈ શકાય.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors