જાણો કાકડી વિશે

કાકડી ગ્રીષ્મ ઋતુમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. કેમકે તે ખુબ જ ઠંડક આપનારી અને પિત્તદાયક છે. કાકડી તરસ છીપાવવાના પણ કામે લાગે છે. તેનાથી રક્તપિત્ત ઓછું થાય છે તેમજ બળતરા પણ શાંત થાય છે.
કાકડીમાં વિટામીન સી અને બી ભરપુર માત્રામાં હોય છે તેમજ વિટામીન એ પણ થોડીક માત્રામાં મળી આવે છે. આનાથી વધારે આમાં સોડિયમ. કેલ્શિયમ, ફોસ્ફરસ, ક્લોરાઈડ, સલ્ફર અને લોહ વગેરે તત્વો પણ મળી રહે છે. નાની કોમળ કાકડી ઠંડી, પિત્તનાશક અને મૂત્રને વધારનાર હોય છે. તેથી પથરી વગેરે જેવા રોગોમાં મૂત્ર ઓછું આવતું હોય અને બળતરા થતી હોય તેમને તેનું સેવન કરવાથી લાભ થાય છે. કાકડીનું રાયતું પણ બનાવી શકાય છે તેનાથી ચિડચિડાપણું અને માનસિક વિકાર પણ દૂર થાય છે.
કોમળ કાકડીને છોલીને તેની અંદર સિંધાલુણ અને કાળા મરી નાંખીને ખાવાથી ભુખ વધે છે. કાકડીના નાના નાના ટુકડા કરીને તેની પર ખાંડ નાંખીને ખાવાથી ગરમીથી થતી બળતરામાં રાહત થાય છે. ગરમીને લીધે શરીર પર જો બળતરા થઈ રહી હોય તો કાકડીને શરીર પર ઘસવાથી લાભ થાય છે.
દરરોજ 100 ગ્રામ કાકડીનો રસ પીવાથી ચહેરો ખીલી ઉઠે છે. ગરમીને લીધે આંખો લાલ થઈ ગઈ હોય, બળતરા થતી હોય, થકાવટ થઈ ગઈ હોય તો કાકડીન છીણીને તેને આંખો પર લગાવવાથી ઠંડક મળે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors