કયું જ્ઞાન બંધનરૂપ

કયું જ્ઞાન બંધનરૂપ બને છે?

* જે જ્ઞાન બહારથી મેળવેલું છે;સ્વંયંભુ કે સ્વપુરૂષાર્થથી  ઊગેલું નથી પણ ઉછીનું લીધેલું છે તે બંધનરૂપ છે.

* જેમાં\’હું\’પણુ અને \’મારાપણુ\’ કેન્દ્રસ્થાને હોઉઅ તેવું જ્ઞાન.

* અનુભવનું જ્ઞાન નહીં તેવું પણ શાસ્ત્રોનું જ્ઞાન.સ્મૃતિમાંસંધરી રાખેલું જ્ઞાન.

કયું જ્ઞાન ટકતુ નથી?

* વૈરાગ્ય વિનાનું હોય તે.

* જે જ્ઞાન દઢમૂળ નથી થવું કોતું તે.

* અનુભવ વગરનું જ્ઞાન.

જ્ઞાની અને ભકત વચ્ચે દેખીતો તફાવત?

* જ્ઞાનમાર્ગે જનાર વિચારમાં ડુબી પોતાને વીસરી જાય છે.

* ભક્તિ માર્ગે જનાર ભાવમાં ડુબીજઈ પોતાને વીસરી જાય છે.

* બાહ્ય દષ્ટિએ તફાવત દેખાઈ છે;પરંતુ જ્ઞાન અને ભક્તિ એક જ વસ્તુના બે પાંસા છે.

જ્ઞાની અને ભકતમાં મૂળભુત તફાવત શું છે?

* જ્ઞાનીની શોધ સ્વાલંબી છે તે આત્મનિર્ભર છે સંકલ્પશીલ છે.

* ભકત પરમાત્મા પર આધીન છે એનામાં સમર્પણનો ભાવ છે પરિપુર્ણ ત્યાગનો ભાવ છે.તે પુરેપુરો શ્રધ્ધાવાન છે.

* જ્ઞાની મનોમન સંસારનો ત્યાગ કરે છે,જયારે ભકત પોતાનું સર્વસ્વ ભગવાન પર છોડી દે છે.

* ઇન્દ્રિય-સંયમ અને શ્રધ્ધા હોય તો.

* ખરી જિજ્ઞાસાવૃતિ હોય તો.

* અનુભવી વ્યક્તિનો સંગ મળે તો.

* પૂર્વગ્રહ, અકડાઈ,જડતાપૂર્વકનો આગ્રહ છૂટી જાય તો..

જ્ઞાનયોગ કોને વધુ અનૂકુળ બને ?

* જ્ઞાન મેળવવું જ એવો દઢ નિશ્ચય કરે તેને.

* સંતોષીને.

* જેની વૈરાગ્યવૃતિ પ્રબળ હોય.

* જીવન પ્રત્યે નિર્વેદનો ભાવ હોય.

* જેનું શાંતરસમાં ચિત ઠરતું હોય.

જગ્રત અવસ્થા કોને કહેવાય ?

* આ અવસ્થામાં જીવ ઇન્દ્રિયોના સહારાથી બહારના પદાર્થોનો અનુભવ કરે છે.

સ્વપ્નાવસ્થામાં શું થાય છે ?

* આ અવસ્થામાં અન્ત;કરણ મનોમય પદર્થોનો અનુભવ કરે છે.

સુષુપ્ત અવસ્થા શું છે ?

* અન્તઃકરણાની ત્રીજી અવસ્થા ; આ ગાઢ નિદ્રાની અવસ્થા છે.

તુરીય અવસ્થા શું છે ?

* જાગ્રત,સપ્ન અને સુષુપ્તિ પછીની અથવા આ ત્રણેયને જોનારી જે ચોથી અવસ્થા છે તેને તુરીય અવસ્થા કહે છે.

* તે પરમશાંતીની અવસ્થા છે અને તેમાં જાગૃતિ હોય છે. એટલે કે શરીર અને મન સુતા હોય પણ ચૈતન્ય તત્વની જાગૃતિ.

* નિદ્રા જેવી જ ગાઢ શાંતિ છત સંપુર્ણ જાગ્રત સ્થિતિ અથવા વ્યક્તિ બહારથી સુતેલી દેખાય પણ અંદરથી બરાબર જાગત.

* કર્તા-ભોકતાનો ભાવ નહીં,માત્ર દષ્ટાની સ્થિતિ.

* અંદર સતત પ્રકાશની હાજરી ઃઅંધકારની સહેજ પણ હાજરી નહીં.

* માત્ર પોતાના પર જ ધ્યાન ,જે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં શક્ય બનતું નથી.

* બહારના જગતમાં બનવાનું હોય તે ભલે બનેઃ આંતરિક જગતમાં નિત્ય ઉધાડ છે અને તેમાં સ્થિર થઈ જાય છે તે જાગ્રત,સ્વપ્ન અને સુષુપ્તિમાં પણ તુરિય (ચૌથી)અવસ્થામાં જ હોય છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors