મનુષ્ય

ખરો મૂર્ખ મનુષ્ય કોણ છે ?

* જે બીજનો બગડેલો છે.જે જાણતો હોવા છતા માનતો નથી તે.

* જે પોતે પોતાને જાણતો નથી.

* જે માત્ર શરીરની આળપંપાર કર્યા કરે છે.

* બે વ્યક્તિ વચ્ચે ચાલી રહેલી વાતચીતમાં માથુ મારે છે.

* પોતાને બુધ્ધિમાન અને અન્યને ઓછી બુધ્ધિના ગણે છે.

* કંચનસમા મનુષ્ય-જન્મને કથીરસમો ગણી વેડફી નાખે છે.

* જે સવળું છે તેને અવળું જુએ છે.

મૂઢ મનુષ્ય કોને કહેવો ?

* જે વિષયોમાં વિશેષપણે ડુબેલો છે.

* જે પોતાના ત્રાજવે સૌને તોલે છે,

* જે અજ્ઞાની હોવા છતાં પોતાને જ્ઞાની માને છે.

* જેનામાં અજ્ઞાન અને અહંકારનું સંયોજન થયું છે.

* પોતે જે ડાળી પર બેઠો છે તેને કાપે,

* ભગવતગીતા અનુસાર

– વ્યર્થ આશા રાખનાર.

– વ્યર્થ કર્મ કરનાર.

– વ્યર્થ જ્ઞાનને વળગી રહેનાર.

– જે આશા કદી ફળીભુત ન થાય તેવી હોય તે વ્યર્થ આશા.

– જે કર્મમાંથી આનંદ ન જન્મતો હોય તે યર્થ કર્મ.

– જે જ્ઞાનથી આપણામાં શુભ ફેરફાર ન થાય તે વુથા જ્ઞાન.

કપટી મનુષ્ય કોને કહેવો ?

* બાહ્ય દેખાવ ઉજળો,પણ કર્મ કાળા.

* બતાવવાનું જુદુ અને કરવાનું જુદું અથવા કહે કંઇ ને કરે કાંઈ.

શઠ મનુષ્ય કોને કહેવો?

* જે બીજનો સારો છે પણ કુસંગથી બગડેલો છે.

* કુસંગથી બગડેલો હોવા છતા સત્સંગ મળતા સુધરી જાય છે.

બે માનવીના સાચા મિલનમાં બાધારુપ બનનારાં પરિબળો કયા છે ?

* અહંકાર ભુજાઓ ફેલાવીને વચ્ચે ઉભો છે.

* સ્વાર્થ દિવાલની ગરજ સારે છે.

* ક્રોધ અને લોભ આડખીલી રુપ છે.

* અવિવેક સામી વ્યક્તિને ખીલવા દેતો નથી.

* નમ્રતાનો અભાવ બંધ બારણાનું કામ કરે છે.

* વિશ્વાસનો અભાવ.

મનુષ્યમાં વિશ્વાસનો અભાવ છે એ શી રીતે નક્કી કરી શકાય?

* વર્તમાન અને ભવિષ્યકાળની ચિંતા રહેતી હોય તેના પરથી.

મનુષ્ય શેની પકડમાથી સત્વરે છૂટી શકતો નથી?

* અવિધાની પકડમાથી.

* દશ્ય વિભાગની અને દેહાધ્યાસની.

* ઇન્દ્રિયોની.

* મનની અને બુધ્ધિની.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors