પોતાની ઇચ્છા પ્રભુને આધીન કરો.

જેઓએ જોખમની ચાવી પોતાની પાસે રાખી છે તેઓ માર્યા જ ગયા છે;પણ જેણે તે ચાવી ફેકી દિધેલ છે  તેઓજ બચી ગયા છે.કોઇપણ શુરવીર,કોઇપણ સતી કે ભક્તને જોવોકે  તેનું શુરવીરપણું કે ભક્તપણૂ શાથી છે?ચાવી ફેકી દેવાથી જ ,બીજું કાંઇ જ નહિ.મીરાબાઈથી ઝેરનો પ્યાલો કેમ પીવાયો?તેણે પોતાની જીદગીની ચાવી પ્રભુને સોપી દિધી હતી તેથી જ નરહિહ મહેતાનું મામેરુ શ્યામસુંદરને શા માટે પુરવું પડયુ?તેણે પોતાના  જોખમની ચાવી,પોતાની ઇચ્છા પ્રભુને સોપી દિધી હતી તેથી જ;આથી તેમની અંદર કોઇ જોખમદારી ન હતી. સુરદાસની પાછળ-પાછળ રભુએ શા માટે ફરવુ પડયુ ? કારણ કે તેમણે પોતાની ઇચ્છારુપી ચાવી પરમ કૃપાળુ પરમાત્માને સોપી દિધેલ હતી તેટલા મટે જ.જેમણે જીદગીની જોખમની ચાવી એટલે કે પોતાની ઇચ્છાઓ પ્રભુને સોપી દિધી છે તેઓ જ તરી ગયા છે અને આપણે સો તેના જ ગુણો ગાઈએ છીએ.જે મનુષ્યે તે ચાવી પોતાની પાસે રાખી છે તેઓ તો સદાની હાયહોયમાંજ છે,તેઓના જીગરમાં તો ભડકા જ બળતા હોય છે.તેઓના મન તો કયાંયનાં કયાંય ભટકતા જ હોય છે.બહાર શા માટે જોવા જઈએ. આપણૂ જ હ્રદય તપાસી જુઓને ?આપણી ચાવી હજુ આપણે આપણી પાસે જ રાખેલી છે અને તેથી કેવા સુખી છીએ ? તે તો જુઓ ! ખરા સુખી તો તે જ છે જેણે તે ચાવી પ્રભુને સોપી દિધેલ છે.માટે જેટલી બને તેટલી મજબુતીથી  આપણી ઇચ્છાઓ પરમ દયાળૂ પભુને સોંપી પ્રભુની ઉત્તમમાં ઉત્તમ ઇચ્છાને આધીન થઈએ.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors