પન્નાલાલ પટેલઃ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર

નામઃપન્નાલાલ પટેલ

જન્મ : 

૭ મે,૧૯૧૨
માંડલી ( જી. ડુંગરપુર જિલ્લો, રાજસ્થાન )

અભ્યાસઃ

માત્ર આઠ ચોપડી ભણેલા

જીવન વિશેષઃ

કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર – રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ.
એવોર્ડઃ 

ઈ.સ. ૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક
ઈ.સ. ૧૯૮૬માં ગૌરવવંતો જ્ઞાનપીઠ એવોર્ડ

રચનાઃ

લઘુનવલ વળામણાં(૧૯૪૦)
‘મળેલા જીવ’ (૧૯૪૧)
‘માનવીની ભવાઈ’ (૧૯૪૭)
‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭)
‘ઘમ્મર વલોણું’- ભા.૧-૨ (૧૯૬૮)
‘ના છુટકે’ (૧૯૫૫)
‘મનખાવતાર’ (૧૯૬૧)
‘કરોળિયાનું જાળું’ (૧૯૬૩)
‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬)
‘કંકુ’ (૧૯૭૦)
‘અજવાળી રાત અમાસની’ (૧૯૧૭)
‘ભીરુ સાથી’ (૧૯૪૩)
‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪)
‘નવું લોહી’ (૧૯૫૮)
‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨)
‘આંધી અષાઢની’ (૧૯૬૪)
‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯),
‘અલ્લડ છોકરી’ (૧૯૭૨),
‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨),
‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪),
‘રૉ મટિરિયલ’ (૧૯૮૩)
‘ગલાલસિંગ’ (૧૯૭૨)
‘પાછલે-બારણે’ (૧૯૪૭)
‘વળી વતનમાં’ (૧૯૬૬)
‘એકલો’ (૧૯૭૩)
‘તાગ’ (૧૯૭૯)
‘પગેરું’ (૧૯૮૧)
‘અંગારો’ (૧૯૮૧)
‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (૧૯૮૩)
‘જેણે જીવી જાણ્યું’ (૧૯૮૪)
‘નગદનારાયણ’ (૧૯૬૭)
‘મરકટલાલ’ (૧૯૭૩)
‘રામે  સીતાને માર્યાં જો !’-ભા. ૧-૪ (૧૯૭૬),
‘કૃષ્ણજીવનલીલા’-ભા. ૧-૫ (૧૯૭૭),
‘શિવપાર્વતી’-ભા. ૧-૬ (૧૯૭૯),
‘ભીષ્મની બાણશૈય્યા’- ભા. ૧-૩ (૧૯૮૦),
‘કચ-દેવયાની’ (૧૯૮૧),
‘દેવયાની-યયાતી’-ભા. ૧-૨ (૧૯૮૨),
‘સત્યભામનો માનુષી-પ્રણય’ (૧૯૮૪),
‘(માનવદેહે) કામદેવ રતિ’ (૧૯૮૪),
‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’ (૧૯૮૪),
‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (૧૯૮૪),
‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪),
‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (૧૯૮૪),
‘શિખંડી-સ્ત્રી કે રુષ ?’ (૧૯૮૪),
‘રેવતીઘેલા બળદેવજી’ (૧૯૮૪),
‘સહદેવભાનુમતીનો પ્રણય’ (૧૯૮૪),
કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (૧૯૮૪),

‘(નરમાં નારી) ઈલ-ઈલા’ (૧૯૮૬),
‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરુરવા’ (૧૯૮૬)
ટૂંકીવાર્તાઓઃ
‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦),
‘જિંદગીના ખેલ’ (૧૯૪૧),
‘જીવો દાંડ’ (૧૯૪૧),
‘લખચોરાસી’ (૧૯૪૪),
‘પાનેતરના રંગ’ (૧૯૪૬),
‘અજબ માનવી’ (૧૯૪૭),
‘સાચાં શમણાં’ (૧૯૪૯),
‘વાત્રકને કાંઠે’ (૧૯૫૨), ‘
ઓરતા’ (૧૯૫૪),
‘પારેવડાં’ (૧૯૫૬),
‘મનનાં મોરલા’ (૧૯૫૮),
‘કડવો ઘૂંટડો’ (૧૯૫૮),
‘તિલોત્તમાં’ (૧૯૬૦),
‘દિલની વાત’ (૧૯૬૨),
‘ધરતીઆંભના છેટાં’ (૧૯૬૨),
‘ત્યાગી-અનુરાગી’ (૧૯૬૩),
‘દિલાસો’ (૧૯૬૪),
‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫),
‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬),
‘માળો’ (૧૯૬૭),
‘વટનો કટકો’ (૧૯૬૯),
‘અણવર’ (૧૯૭૦),
‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧),
‘આસમાની નજર’ (૧૯૭૨),
‘બિન્ની’ (૧૯૭૩),
‘છણકો’ (૧૯૭૫),
‘ઘરનું ઘર’ (૧૯૭૯),
‘નરાટો’ (૧૯૮૧)

અવસાનઃ

૬-૪-૧૯૮૯ (અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન)

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors