ધરગથ્થુ ઉપચારઃ પેટના દર્દો માટે

ધરગથ્થુ ઉપચારઃ પેટના દર્દો માટે
* એલચી,ધાણાનું ચુર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુંના રસમાં મેળાવીને ચાટવથી વાયુ,પેટનો દુખાવો અને આફરો મટે છે.
* ફુદીનાના રસમાં મધ મેળાવી લેવાથી પેટના દર્દો મટે છે લાંબા સમય માટે આંતરડાની ફરિયાદ માટે આ ઉતમ ઇલાજ છે.
* સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે
* જીરુ અને ધાણા બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખો સવારમાં ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળાતરા મટે છે.
* અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,અજીર્ણ અને વાયુ મટે છે.
* આદુ અને લીબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચુર્ણ નાખિ પીવાથી  પેટનો દુખાવો મટે છે.
* અજમો અને મીંઠુ વાટીને ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે.
* આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
* આદુનો રસ એક ચમચી અને લીબુનો રસ બે ચમચી મેળાવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતનો પેટનો દુખાવો મટે છે.
* શેકેલા જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
* જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે તે માટે સુંઢ,તલ અને ગોળ સરખે ભાગે લઈ દુધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
* લીંબુના રસમાં થોડો પાપડખાર મેળાવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે.
* તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ ,સહેજ ગરમ કરી,પીવાથી પેટનો દુખાવો મટે છે.
* ગોળ અને ચુનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
* અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
* ચીકણી સોપારીનો પા તોલો ભુકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.
* લીંબુના રસમાં મૂલાનો રસ મેળાવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે.
* કોકમનો ઉકાળો કરી,તેમાં થોડું મીઠું નાખી,પીવાથી પ્ર્ટનો વાયુ અને ગોળો મટે છે.

* ઉકળતા પાણીમાં સુઢનું ચુર્ણ નાખી,તેને ઢાંકી,ઠંડુ થયા બાદ ગાળી તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો,પેટનો દુખાવો મટે છે આ પાણીંમાં ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.
* એક તોલા તલનું તેલ પા તોલા હળદઆર મેળાવીને લેવાથી પેટની ચુંક મટે છે.
* રાઈનું ચુર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પિવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે.
હિંગ,સુંઢ,મરી,લીડીપિપર,સિંધવ,ાજમો,જીરુ,શાહજીરુ આ આઠ વ્હીઓ સરખે ભાગે લઈ ચુર્ણ બનાવી (જે હિંગાષ્ટક ચુર્ણ કહેવામાં આવે છે તે બજારમાં પણ મળે છે)લેવાથી પેટના દર્દો મટે છે.
* સાકરવાળા દુખમાં એક થી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતના દર્દો મટે છે.
* સવારમાં પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચુક મટે છે.અને જેમનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજવલિત બને છે.
* રાઈનું ચુર્ણ પાણિ સાથે લેવાથી પેટની ચુંક અને અજીર્ણ મટે છે.
* અજમો,શિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છ્એ.
* આદુનો રસ,લીંબુનો રસ અને મીંઠુ મેળાવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors